કર્નલ સોફિયા કુરૈશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે ઓપરેશન સિંદૂર પર પ્રેસ બ્રિફિંગ આપ્યું હતું કે, 1.05થી 1.30 વાગ્યા સુધીઓપરેશન સિંદૂર ચાલ્યું હતું. 25 મિનિટમાં જ 9 આતંકવાદી કેમ્પને નષ્ટ કરવામાં આવ્યા હતા. વિશ્વસનીય સૂચનાઓના આધારે આટાર્ગેટ નક્કી કરવામાં આવ્યા હતા. નિર્દોષ નાગરિકોને નુકસાન ન પહોંચે, તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. પાકિસ્તાન જો કોઈપણપ્રકારની કાર્યવાહી કરશે તો તેનો આકરો જવાબ આપવામાં આવશે.